હિન્દ ન્યૂઝ, રાજપીપલાના,
આજ રોજ ૨જી ઓકટોબર, મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે રાજપીપલા ગાંધી ચોક ખાતે નર્મદા જીલ્લા ભાજપના આગેવાનો તેમજ કાયૅકરો દ્વારા મહાત્મા ગાંધીજી ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમ માં ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા તથા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ગજેન્દ્રસિંહ જાડેજા, રમણસિંહ રાઠોડ, કિરણભાઈ વસાવા, ભગવાનદાસ પટેલ, રાજેન્દ્રભાઈ પટેલ, રાજુભાઈ વસાવા તથા દિવ્યેશભાઈ વસાવા, કમલેશભાઈ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : હિતેન્દ્ર વાસંદિયા, નર્મદા